Press "Enter" to skip to content

Lord Jagannath will arrive in Saraspur in an elephant-shaped chariot | ભગવાન જગન્નાથ સરસપુરમાં હાથી આકારના રથમાં પધારશે: ભાવિકો મોકળાશથી દર્શન કરી શકે એ માટે 13 ફૂટ જગ્યા ખુલ્લી રખાશે – Ahmedabad News

11 જૂને નીકળનારી જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ સાંજે સરસપુર મોસાળમાં જશે. આ વર્ષે હાથીની થીમ પર તૈયાર કરાયેલા રથમાં ભગવાન જગન્નાથને આંબેડકર હોલથી મોસાળ રણછોડરાયજી મંદિરે લવાશે. મંદિરના ટ્રસ્ટ મંડળે જણાવ્યું કે ગત વર્ષે મોરપીંછની થીમ પરના રથમાં ભગવાનની પ

.

ભગવાનની પધરામણી થતાં જ ભક્તોની ભારે ભીડ આવતી હોય છે, જેને પગલે આ વર્ષે મંદિરની બાજુની 13 ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે. આથી આ વર્ષથી દર્શન માટે પ્રવેશ અને નિકાસ દ્વાર પણ અલગ અલગ કરાયા છે. મામેરાના દર્શન વખતે પણ આ જ વ્યસ્થા કરાશે.

11-26 જૂન સુધી ભજન કાર્યક્રમો થશે

રણછોડરાયજી મંદિરે 11થી 26 જૂન સુધી 30થી વધુ ભજન મંડળીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સવારે 10.30થી 12 વાગે સુધી અને સાંજે 5થી 7.30 વાગ્યા સુધી વિવિધ ભજન મંડળના કાર્યક્રમો યોજાશે. જેમાં અમદાવાદની મોટી ભજન મંડળીઓ પણ ભાગ લેશે.

Source link

More from NewsMore posts in News »