Press "Enter" to skip to content

Extension of the period for distribution of food grains under the NFSA scheme | NFSA યોજના હેઠળ અનાજ વિતરણમાં મુદત વધારો: લાભાર્થીઓને 5 જૂન 2025 સુધી મળશે મફત અનાજ, 85% લોકોએ e-KYC કરાવ્યું – Patan News

રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-2013 (NFSA) હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ વિતરણની મુદત 5 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે.

.

યોજનામાં લાભાર્થીઓની સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે e-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ લાભાર્થીઓએ તેમનું e-KYC પૂર્ણ કર્યું છે.

સરકારે બાકી રહેલા લાભાર્થીઓને તાત્કાલિક e-KYC કરાવવા અપીલ કરી છે. લાભાર્થીઓ તેમની નજીકની વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવી શકે છે. મૂળ યોજના 31 મે 2025 સુધી હતી, જેને હવે જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી NFSA હેઠળના તમામ લાભાર્થીઓને જૂન-2025 સુધી યોજનાનો લાભ મળી શકશે. રાજ્ય સરકાર તમામ પાત્ર લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.

Source link