સ્પોર્ટ્સ ડેસ્ક9 કલાક પેહલા
- કૉપી લિંક
IPLમાં લીગ સ્ટેજની છેલ્લી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાશે. જો RCB જીતશે તો તે ટોપ-2માં પહોંચી જશે. જો LSG જીતે છે તો બેંગલુરુએ એલિમિનેટર રમવું પડશે. બીજી તરફ, સોમવારે પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ક્વોલિફાયર-1માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
પોઈન્ટ ટેબલની હાલની સ્થિતિ…

પંજાબ રમશે ક્વોલિફાયર-1, મુંબઈ એલિમિનેટરમાં
સોમવારે જયપુરમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 184 રન બનાવ્યા હતા. પંજાબે 19મી ઓવરમાં જ માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું.
- પંજાબના 14 મેચમાં 9 જીત અને 1 ડ્રો સાથે 19 પોઈન્ટ છે. ટીમ નંબર-1 પર પહોંચી અને ક્વોલિફાયર-1માં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કર્યું.
- મુંબઈના 14 મેચમાં 8 જીત અને 6 હાર સાથે 16 પોઈન્ટ છે. ટીમે લીગ સ્ટેજ ચોથા સ્થાને રહ્યો. આ સાથે એવું નક્કી થયું કે ટીમ 30 મેના રોજ એલિમિનેટર રમશે.
RCB આજે ટોચ પર પહોંચી શકે છે
આજે IPLમાં RCB LSG સામે રમશે. બેંગલુરુ 13 મેચમાં 8 જીત અને 1 ડ્રો સાથે 17 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આજની મેચ જીતીને બેંગલુરુ ટોપ-2 માં પહોંચી જશે અને ક્વોલિફાયર-1માં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. જો ટીમ હારી જાય તો તેમને એલિમિનેટર રમવું પડશે.

RCBને ટોપ-2માં સ્થાન મેળવવા માટે ફક્ત એક જીતની જરૂર છે.
LSG બેંગલુરુની રમત બગાડી શકે છે
લખનઉ સુપરજાયન્ટ્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે, ટીમના 13 મેચમાં 6 જીત અને 7 હાર સાથે 12 પોઈન્ટ છે. આજની મેચ જીતીને ટીમ 14 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહેશે. જો ટીમ હારી જાય છે, તો તે 7મા ક્રમે રહેશે. જોકે લખનઉ બેંગલુરુને હરાવે છે તો LSG તેમને એલિમિનેટર રમવા માટે દબાણ કરશે.

લખનઉએ છેલ્લી મેચમાં ટેબલ ટોપર ગુજરાતને હરાવ્યું હતું.
ટોપ-2માં સ્થાન મેળવવું શા માટે મહત્ત્વપૂર્ણ છે?
IPL ફાઇનલમાં પહોંચવા માટે પ્લેઓફ સિસ્ટમનું પાલન કરે છે, જ્યાં ટોપ-2 પોઝિશન મેળવનારી ટીમો ક્વોલિફાયર-1માં એકબીજા સામે રમે છે. આ મેચનો વિજેતા ફાઇનલમાં પહોંચે છે, જ્યારે હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળે છે.
ત્રીજા અને ચોથા ક્રમાંકની ટીમો વચ્ચે એક એલિમિનેટર છે, જે ટીમ આમાં જીતશે તે ક્વોલિફાયર-2માં ક્વોલિફાયર-1ની હારેલી ટીમનો સામનો કરશે. ક્વોલિફાયર-2 જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચે છે. એલિમિનેટર હારી જનાર ટીમ બહાર થઈ જાય છે. ટીમો ફાઇનલમાં પહોંચવાની વધુ સારી તકો મેળવવા માટે ટોપ-2 પોઝિશનમાં રહેવા માગે છે.
સાઈ સુદર્શન ટોપ સ્કોરર
રવિવારે ગુજરાતના સાઈ સુદર્શને 41 રન બનાવ્યા, જેનાથી રન બનાવનારાઓમાં તેમનું ટોચનું સ્થાન મજબૂત બન્યું. તેણે 14 મેચમાં 679 રન બનાવ્યા. શુભમન ગિલ 649 રન સાથે બીજા સ્થાને છે. મુંબઈનો સૂર્યકુમાર યાદવ 640 રન સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો.

નૂર બન્યો ટોપ વિકેટ ટેકર
રવિવારે ચેન્નઈના સ્પિનર નૂર અહેમદે 3 વિકેટ લીધી અને આ રીતે તેને પર્પલ કેપ મળી. તેણે 14 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. ગુજરાતનો પ્રસિદ્ધ કૃષ્ણ 23 વિકેટ સાથે બીજા સ્થાને પહોંચ્યો. મુંબઈ ઈન્ડિયન્સનો ટ્રેન્ટ બોલ્ટ 19 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.

પૂરણે 40 છગ્ગા ફટકાર્યા
18મી સિઝનના ટોચના સિક્સ હિટર નિકોલસ પૂરને 13 મેચમાં 40 સિક્સ ફટકારી છે. લખનઉના મિશેલ માર્શ 32 છગ્ગા સાથે બીજા સ્થાને છે. મુંબઈનો સૂર્યકુમાર યાદવ 32 છગ્ગા ફટકારીને ત્રીજા સ્થાને છે.

Topics:
Be First to Comment